multikulti

માનવ અધિકાર ધારાની કલમો

The Articles of the Human Rights Act

ધારાની કલમો વિગતવાર

દરેક કલમ અહીં સમજાવવામાં આવી છે. ભૂતકાળમાં એનો કેવી રીતે ઉપયોગ થયો હતો અને માનવ અધિકાર ધારા હેઠળ એનો કેવી રીતે ઉપયોગ થશે એના ઉદાહરણો પણ આપ્યા છે. આમ છતાં, ધ્યાનમાં રાખવું કે આ ફક્ત ઉદાહરણો જ છે, અને કન્વેન્શન હેઠળના અધિકારો ઘણી અન્ય રીતે ઉપયોગમાં લઈ શકાય છે.


કલમ 2: જીવન જીવવાનો અધિકાર
આ કલમ કહે છે કે સરકાર અને જાહેર વહીવટીતંત્રોએ જીવન જીવવાના અધિકારનું સંરક્ષણ કરવું જ જોઇએ. એનો એક અર્થ એવો હોઇ શકે કે કોઇનો જીવ તાત્કાલિક જોખમમાં હોય તો પોલીસે તેને રક્ષણ આપવું જોઇએ. એવો પણ અર્થ થાય કે દર્દીને પોતાનો જીવ બચાવવા જરૂરી સારવાર મળી રહેળી જોઇએ. આ કલમ કહે છે કે ત્રણ પરિસ્થિતિઓ એવી છે જ્યાં સરકાર કે જાહેર વહીવટીતંત્ર કોઇનો જીવ લઈ લે તો તે વાજબી ગણાશે. એ છે:

  • ગેરકાયદે હિંસાનો ભોગ બનતી કોઇ અન્ય વ્યક્તિને એ બચાવી રહ્યા હોય;
  • કોઇની ધરપકડ કરી રહ્યા હોય યા કોઇ અટકાયતી છટકવા જાય તેને રોકવાનો પ્રયત્ન કરી રહ્યા હોય; અથવા,
  • રમખાણો રોકવાના પ્રયાસ કરી રહ્યા હોય.

આવી પરિસ્થિતિમાં કોઇનું મરણ થાય તો સરકાર અથવા જાહેર વહીવટીતંત્રે (સામાન્યપણે પોલીસ) બતાવવું પડશે કે એકદમ જરૂરી હોય તેનાથી વધારે બળનો પ્રયોગ નથી કરાયો. જો આમ ન બતાવી શકે તો એણે કલમ 2 નો ભંગ કર્યો ગણાશે.

કલમ 2 એમ પણ કહે છે કે જ્યારે પોલીસ યા સેના કોઇને મારી નાખે અથવા અટકાયતમાં કોઇ મરણ પામે અથવા જાહેર વહીવટીતંત્રની નિષ્કાળજીને કારણે કોઇ મરણ પામે ત્યારે યોગ્ય તપાસ થવી જોઇએ. આ તપાસ સામાન્યપણે મૃત્યુમીમાંસા (ઇન્ક્વેસ્ટ) રૂપે હોય છે, પણ ક્યારેક સરકાર, પોલીસ યા સેના જાહેરમાં પૂછપરછ હાથ ધરશે. મૃતકના પરિવારને કલમ 2 હેઠળ લીગલ એઇડ (આર્થિક સહાય) પણ કદાચ મળી શકશે જેથી તપાસમાં તેઓ પૂરો ભાગ ભજવી શકે.

બે ખાસ પરિસ્થિતિઓ છે જેને કલમ 2 નથી આવરી લેતી:

  • કોઇ સ્ત્રીને ગર્ભપાત કરાવતી રોકવા માટે એ ન વાપરી શકાય.
  • અસાધ્ય રોગ કે જીવલેણ બિમારી ભોગવી રહેલ વ્યક્તિને મોતને વહાલું કરવા માટે સહાય મેળવવાનો અધિકાર એનાથી નથી મળતો.

કલમ 3: જુલમનો પ્રતિબંધ
આ કલમ કહે છે કે કોઇની ઉપર જુલમ ન થવો જોઇએ, તેમ જ કોઇનું માનભંગ કરે યા અમાનુષિ હોય તેવી સજા આપવાની કે તેવું વર્તન કરવાની મનાઇ ફરમાવે છે. માનવ અધિકારો માટેની યુરોપિયન કોર્ટ એમ કહે છે કે માનભંગ કરે યા અમાનુષી હોય તેવી વર્તણૂક અથવા સજા જો અતિ ગંભીર હોય તો જ કલમ 2 નો ભંગ કર્યો ગણાય. કમ-સે-કમ તે કોઇને છેક ઉતારી પાડે તેવી હોવી જોઇએ.

દેશનિકાલ કરી જ્યાં જુલમ થવાનો સંભવ હોય તેવા દેશમાં લોકોને મોકલવા ઉપર આ કલમ પ્રતિબંધ મૂકે છે, તેમ જ જ્યાં મૃત્યુદંડનો સામનો કરવો પડે એવા દેશમાં જઇને ફોજદારી તહોમતાનામાના જવાબ દેવા માટે પ્રત્યાર્પણ કરવા (મોકલવા) ઉપર પણ પ્રતિબંધ મૂકે છે. નીચે બતાવેલા સંજોગોમાં પણ આ કલમનો ઉપયોગ થયેલ છે:

  • એવા કિસ્સાઓમાં જ્યાં સોશિયલ સર્વિસીસ બાળકોને અતિશય સતામણીથી સંરક્ષવામાં નિષ્ફળ જાય; અને,
  • એવી દલીલ કરવા કે સરકારે શરણાર્થીઓને સરકારી સહાય ટેકાથી વંચિત ન રાખવા કેમ કે એમ કરવાથી એ નિરાધાર થઈ જશે (જીવવા માટે કોઇ સહારો નહીં રહે).

જેલમાં રહેતા તથા હોસ્પિટલમાં રહેતા લોકો જો એકદમ ખરાબ વર્તણૂક પામે અથવા જેલ કે હોસ્પિટલમાંની પરિસ્થિતિ સવિ