Skip Navigation | Accessibility

information, advice, guidance and learning materials in community languages

સમાન તકોઃ તમારા ધર્મ અથવા માન્યતાઓને કારણે ભેદભાવ
Equal Opportunities (3): Discrimination because of your religion or beliefs

તમારા ધર્મ અથવા માન્યતાઓને કારણે ભેદભાવ

એમ્પ્લોયમેન્ટ ઇક્વાલીટી (રિલિજન ઓર બિલીફ) રેગ્યુલેશન્સ 2003 હેઠળ, કાર્ય પર લોકોની સામે તેમના ધર્મ અથવા માન્યતાને કારણે ભેદભાવ કરવાનું ગેરકાનૂની છે. આ નિયમનો તમારા કામને લગતી તાલીમને પણ આવરે છે.

નિયમનો કોઇપણ ધર્મ, ધાર્મિક માન્યતા, અથવા ‘સમાન માન્યતા-આસ્થા’ને આવરી લે છે. ‘સમાન માન્યતા’ માં અધર્મવાદ, નાસ્તિકતા, માનવતાવાદ તેમ જ શાન્તિવાદ આવી જાય છે, પરંતુ તેમાં રાજકીય માન્યાતાઓ ન આવે.

જો કે, એમ્પ્લોયરનો ધર્મ તમારા ધર્મથી જૂદો હોય એ કારણથી એ તમને નોકરી ન આપે તો એવા ભેદભાવ સામે આ નિયમો તમને સંરક્ષણ આપતાં નથી. તમારો ફલાણો ધર્મ છે એ કારણથી એ નોકરી નકારવામાં આવે તો જ તમારા કેસમાં તથ્ય ગણાશે.

ધર્મ-સંબંધી ભેદભાવ વર્ણ-સંબંધી ભેદભાવ સાથે નિકટતાથી જોડાએલ હોઇ શકે છે. ઉદાહરણ તરીકે, જો તમે જ્યુઇશ (યહૂદી) હોવાને કારણે ભેદભાવ પામ્યા હો તો, એના કારણમાં તમારું વર્ણ અથવા તમારો ધર્મ હોઇ શકે છે. આવા કિસ્સામાં, તમે ઉપરોક્ત નિયમનો તેમ જ રેસ રિલેશન્સ એક્ટ બન્ને પર આધાર રાખવા ઇચ્છા કરશો. વર્ણ-સંબંધી ભેદભાવ અંગે અધિક માહિતી માટે કોમ્યુનિટી લીગલ સર્વિસીસની 'રેશિયલ ડિસ્ક્રિમિનેશન' નામની પત્રિકા જુઓ.

ભેદભાવ ક્યારે કાયદા વિરૂદ્ધ ગણાય

નિયમનો કહે છે નીચે સૂચવેલ ભેદભાવ આચરવાનું ગેરકાયદે છેઃ

  • તમને નોકરી ન આપવી;
  • તમને બરતરફ કરવા;
  • તમને કાર્ય પર ઉતરતી કક્ષાના નિયમો અને શરતો આપવી;
  • તમને તાલીમ અથવા બઢતી ન આપવી; અથવા
  • અન્ય ધર્મ અથવા માન્યાતાઓ વાળા લોકોને મળતા લાભો તમને ન આપવા.

સીધા ભેદભાવનું ઉદાહરણ તમને નોકરી માટે એ કારણે નકારવાનું કે તમે હિન્દુ છો ભલે તમારી પાસે બધી જ આવશ્યક કુશળતાઓ હોય.

આડકતરા ભેદભાવનું ઉદાહરણ એ હોઇ શકે કે એવો ડ્રેસ કોડ રાખવો જે પુરૂષોને પોનીટેલ્સ (વાળ બાંધવાનું) અથવા માથું ઢાંકવાની છૂટ ન આપતો હોય. શીખ કર્મચારીઓ જેઓ ધાર્મિક કારણો માટે પાઘડી પહેરે છે અથવા હિન્દુ પુરૂષો જેઓ ધાર્મિક માન્યતાના પ્રતીક રૂપ માથામાં નાની શિખા બાંધે છે, તેઓ માટે આવી નિતી બાધક બની રહે છે.

ઉપરાંત, તમે કામ છોડી દીધા પછી એમ્પ્લોયર તમારી સામે ભેદભાવ ન કરી શકે કે રંજાડી ન શકે.

ધાર્મિક માન્યતાઓ સાથે સુસંગત ન હોય તેવી કામની ફરજો

તમારી માન્યતાઓને લીધે તમે તમારા કામના અગત્યના અંશ કરી શકો એમ ના હોય તો એમ્પ્લોયર તમને નોકરી નકારી શકે છે. પણ તમારી માન્યતા સાથે ટકરામણ ન થાય એ રીતે તમે કામ કરી શકો એમ હોય તો તમને નકારવાનું વ્યાજબી ન લેખાય. ઉદાહરણ તરીકે, તમે મુસલમાન અથવા જ્યુ હો અને તમારૂં કામ તમને ખાણાં સાથે સંપર્કમાં લાવે, પણ તમે પોર્ક (ડુક્કરનું માંસ) ઉત્પાદનો હાથમાં લેવા ન ઇચ્છતા હો. પરંતુ આના સિવાય પણ તમે કાર્ય કરી શકો એવો મધ્યમ માર્ગ હોઇ શકે છે.

કામ પર તમે શું પહેરો

તમારા ધર્મનો અર્થ હોય કે તમારે અમુક ચોક્કસ વેશભૂષા કરવી. ઉદાહરણ તરીકે, એક જ્યુઇશ મહિલા પોતાના અંગના આકારને ઢાંકવા અર્થે તેના સ્કર્ટની બહારની તરફ તેનું શર્ટ કે બ્લાઉઝ પહેરવા ઇચ્છતી હોય, અથવા એક હિન્દુ પુરૂષ પોતાની માન્યતા સૂચવતી મોતીની માળા ડોકમાં પહેરવા ઇચ્છતો હોય.

કામ પર એવો ડ્રેસ કોડ હોય કે તમને આ પ્રકારે વેશભૂષા ન કરવા દે તો એ ભેદભાવ હોઇ શકે, સિવાય કે તમારા એમ્પ્લોયર આ માટે સબળ કારણ દર્શાવે જેમ કે, સ્વાસ્થ્ય અને સલામતી યા એવું અન્ય કોઇ કારણ.

ધાર્મિક અનુસરણ

તમારા ધર્મ અથવા માન્યતાઓનો અર્થ એમ હોઇ શકે કે તમારે દિવસના નિયત સમયે પ્રાર્થના કરવી જોઇએ.

તમારા એમ્પ્લોયરે પ્રાર્થના-ખંડ પૂરો પાડવાનો નથી હોતો અથવા તમને કામના દિવસ દરમિયાન તમને આ કરવા સમય ફાળવવાનો હોતો નથી.

જો કે, તમારા કાર્ય પર શાંત સ્થાન હોય, અને તેનો ઉપયોગ કરવાથી તમારા સાથી કાર્યકરો કે સંસ્થા માટે સમસ્યાઓનું કારણ બને તેમ ન હોય તો, તે સ્થાનનો ઉપયોગ તમારા એમ્પ્લોયર તમને નકારે તો એ ભેદભાવ હોઇ શકે.

તમે તમારા આરામની રીસેસ દિવસના ચોક્કસ સમયે પ્રાર્થના માટે લેવા તમે માગણી કરી શકો. જો તમારા એમ્પ્લોયર ઉચિત કારણ વગર તમને તેમ ન કરવા દે તો તે ભેદભાવ હોઇ શકે.

નીચે બતાવેલ બાબતો પણ ભેદભાવ હોઇ શકે છે:

  • તમને રજાના દિવસોએ કામ કરાવવું;
  • તમને ઉત્સવોની ઉજવણી કરવા અથવા વિધીમાં ઉપસ્થિત થવા રજા ન આપવાનું;
  • નિયત સમયે જ તમને વાર્ષિક રજાઓ લેવા માટે દબાણ.

ભેદભાવ છે કે નહીં તે બધાંજ સંજોગો અને તમારા એમ્પ્લોયર વ્યવસ્થાને ન્યાયી ઠરાવી શકે છે કે કેમ તેના ઉપર આધાર રાખશે. ઉદાહરણ તરીકે, તમારા એમ્પ્લોયર પ્રતિ વર્ષે રીપેર વગેરે માટે કામ બંધ રાખવાનું તો તે કદાચ વ્યાજબી હશે. જો ઘણાં બધા કર્મચારીઓ એકી સાથે રજાની માગણી કરે તો, ધંધાની જરૂરિયાતો અને કર્મચારીઓની જરૂરિયાતો વચ્ચે સંતુલન રાખવું મુશ્કેલ બને. નાની સંસ્થામાં ઘણાં બધા કર્મચારીઓને એકી સાથે રજા આપવાનું એમ્પ્લોયર માટે મુશ્કેલ હોઇ શકે, પરંતુ મોટી સંસ્થા કે પેઢીમાં, ઘણાં બધાં લોકોને રજા આપવાનું એમ્પ્લોયરને પરવડી શકે છે.

એમ્પ્લોયરને ક્યારે ભેદભાવની છૂટ હોય

ખૂબ જ થોડાંક કિસ્સાઓમાં, જો એમ જેન્યુઇન ઓક્યુપેશનલ રિક્વાયરમેન્ટ (વાસ્તવિક વ્યાવસાયીક જરૂરિયાત) હોય કે નોકરીધારીનો ચોક્કસ ધર્મ કે માન્યતા હોવા જોઇએ તો એમ્પ્લોયર ભેદભાવ કરી શકે છે. ઉદાહરણ તરીકે, હોસ્પિટલ પોતાના મુખ્યત્વે ખ્રિસ્તી દરદીઓની આવશ્યકતાઓને સંતોષવા અર્થે ચેપ્લિનને નિયુક્ત કરવાની ઇચ્છા ધરાવી શકે છે.

તે મહત્વપૂર્ણ છે કે દરેક હોદ્દાને એની આગવી રીતે ધ્યાનમાં લેવાય. એમ્પ્લોયર જેન્યુઇન ઓક્યુપેશનલ રિક્વાયરમેન્ટનો દાવો ફક્ત ત્યારે જ કરી શકે જ્યારે એ હોદ્દાનું કાર્ય કોઇક ચોક્કસ ધર્મ અથવા માન્યતા વાળા દ્વારા જ થવું જોઇએ, નહીં કે એમ્પ્લોયરની એ પસંદગી છે તે માટે.

ખાસ ધર્મ અથવા માન્યતા વાળા દ્વારા જ થવું જોઇએ એવા કામ પાર પાડવા માટે અગાઉથી જ પૂરતાં કર્મચારીઓ હોય જે તેવા કામો કરી શકે, તો એમ્પ્લોયર ભરતી કરતી વખતે જેન્યુઇન ઓક્યુપેશનલ રિક્વાયરમેન્ટનો દાવો ના કરી શકે. ઉદાહરણ તરીકે, કામનો ફક્ત નાનો જ અંશ જેન્યુઇન ઓક્યુપેશનલ રિક્વાયરમેન્ટ માટે યોગ્યતા ધરાવે, તો કામ અથવા હોદ્દાઓ બદલી શકાય જેથી જેન્યુઇન ઓક્યુપેશનલ રિક્વાયરમેન્ટ ખાસ હોદ્દાને લાગુ ન પડે અને ભેદભાવની છૂટ ન આપવામાં આવે.

જ્યારે પણ નોકરીની જગા ખાલી પડે તે દરેક વખતે જેન્યુઇન ઓક્યુપેશનલ રિક્વાયરમેન્ટ ઉપર વિચારણા કરી નક્કિ કરવું કે તે હજી પણ વ્યાજબી છે.

કોઇ સંસ્થાની વિચારધારા કે ફિલસૂફી કોઇ ચોક્કસ ધર્મ અથવા માન્યતા ઉપર આધારિત હોય તો તે નોકરી માટે જેન્યુઇન ઓક્યુપેશનલ રિક્વાયરમેન્ટ લાગુ કરી શકે છે જે અન્ય સંજોગોમાં ન કરી શકાય.

માન્યતા ઉપર આધારિત સંસ્થાઓના ઉદાહરણ છે: ધાર્મિક સંસ્થાઓ, ધાર્મિક શાળાઓ, તેમ જ આસ્થા-આધારિત કેર હોમ. જેન્યુઇન ઓક્યુપેશનલ રિક્વાયરમેન્ટનો સિધ્ધાંત લાગુ કરવો હોય તો સંસ્થાએ દર્શાવવુ રહ્યું કે:

  • એ સંસ્થાની પાયાની વિચારધારા મુજબ ચાલવું એ તે કામનું આવશ્યક અંગ છે; અને,
  • એ સિધ્ધાંત લાગુ કરાય છે પણ ‘પ્રમાણસર’. ઉદાહરણ તરીકે, ચર્ચ ઑફ ઈંગ્લેન્ડની ધાર્મિકશાળા એને ત્યાં ધર્મનું જ્ઞાન આપવા માટે એવા શિક્ષક રાખશે જે એના જ સંપ્રદાયના હોય. જો કે તે જ શાળામાં તેના રીપેર માટેના અને વહીવટ માટેના કર્મચારીગણ પણ તે જ સંપ્રદાયના હોવા જોઇએ એવો આગ્રહ રાખવો કાયદેસર નહીં હોય.

તમારા ધર્મને કારણે કનડગત

નીચે બતાવેલ અનિચ્છનીય વર્તણૂંક કનડગત લેખાય છે:

  • તમારા આત્મ સન્માનનું હનન કરે (માનહાનિ થાય); અથવા
  • કાર્ય-સ્થાનમાં ધાકધમકીવાળું, વેરભાવવાળું, હીણપત ભર્યું અથવા ત્રાસદાયક વાતાવરણ રચાય.

આવી વર્તણૂંક કદાચ તમારી ધાર્મિકતાને લીધે તમને જ ભોગ બનાવતી હોય યા તો કાર્ય-સથાનનું વાતાવરણ જ એવું હોય કે ધર્મને લગતી ઠઠ્ઠામશ્કરી યા તમારા ધર્મ/આસ્થા કે તમારા પરિવારજન કે મિત્રના ધર્મ/આસ્થા વિશે વિનોદ એ બધું સહજ રીતે ચલાવી લેવાતું હોય. ઉદાહરણ તરીકે, તમારા જીવનસાથીની મજબુત ધર્મભાવનાને લીધે અવારનવાર તમને ચીઢવવામાં આવે તો એ કનડગત લેખાશે, ભલે એ તમારા પોતાના ધર્મ/આસ્થા વિશે ન હોય.

અશ્રધ્ધાળુઓને પણ કનડગતનું લક્ષ્ય બનાવાય. ઉદાહરણ તરીકે, કર્મચારીગણમાંના કોઇ ધાર્મિક સદસ્ય નિરંતર અશ્રધ્ધાળુઓને નાસ્તિક તરીકે ઓળખાવે તે પણ કનડગત જ છે. કનડગત ઇરાદાપૂર્વકની ના હોય તો પણ એ ગેરકાનૂની જ છે. અજાણતા થયેલી કનડગતને ગેરકાનૂની ગણવી કે કેમ તેનો આધાર જે થયું તેને ત્રાસદાયક લેખવું વ્યાજબી છે કે કેમ તેના ઉપર છે.

વિશેષ સહાય

કોમ્યુનિટી લીગલ સર્વિસ ડાયરેક્ટ

સામાન્ય કાનૂની મુદ્દાઓ ઉપર મફત માહિતી, સહાય અને સલાહ જનતાને સીધી પૂરી પાડે છે.

ફોનઃ 0845 345 4 345

કાર્યકુશળ કાનૂની સલાહકાર સાથે લાભો અને ટેક્સ ક્રેડિટ્સ, કરજ, શિક્ષણ, આવાસ અથવા રોજગાર અંગે વાત કરો અથવા અન્ય સમસ્યાઓ માટે સ્થાનિક સલાહ સેવાઓ શોધી કાઢો.

www.clsdirect.org.uk ઉપર ક્લિક કરીને

સારી ગુણવત્તા વાળો સ્થાનિક કાનૂની સલાહકાર અથવા વકીલ શોધો અને ઓનલાઇન માહિતી અને સહાયતા આપે એવા અન્ય સંસાધનો માટે જોડાણ કરો.

ઇક્વલ ઓપોર્ચ્યૂનિટીઝ કમિશન

ફોનઃ 08456 015 901

www.eoc.org.uk

એડવાઇઝરી સેન્ટર ફોર એજ્યુકેશન (ACE)

શાળામાં ભેદભાવ ઉપર સલાહ માટે

સોમવાર થી શુક્રવાર બપોરના 2 થી સાંજે 5 ચાલુ રહેતી હેલ્પલાઇન

ફોનઃ 0808 800 5793

www.ace-ed.org.uk

ધી એડવાઇઝરી, કોન્સિલિએશન એન્ડ આર્બિટ્રેશન સર્વિસ (ACAS)

તમારા નિકટના જાહેર પૂછપરછ કેન્દ્રને શોધી કાઢવા માટે

ફોનઃ 08457 474747

www.acas.org.uk

એજ કનર્સન

ફોનઃ 0800 00 99 66

www.ace.org.uk

એમ્પ્લોયમેન્ટ ટ્રાયબ્યુનલ સર્વિસ

એમ્પ્લોયમેન્ટ ટ્રાયબ્યુનલની પૂછપરછ માટેની લાઇન

ફોનઃ 08457 95 9775

www.employmenttribunals.gov.uk

ધ જેન્ડર ટ્રસ્ટ

ટ્રાન્સજેન્ડર (લિંગ-પરિવર્તન કરાવ્યું હોય તેવા) લોકો માટે

ફોનઃ 0700 0790 347

www.gendertrust.org.uk

સ્ટોનવૉલ

લેસ્બિયન, GAY પુરુષો અને બાઇસેક્સુઅલ (દ્વિલિંગી) લોકો માટે

ફોનઃ 020 7881 9440

www.stonewall.org.uk

ટેરેન્સ હિગિન્સ ટ્રસ્ટ

HIV અથવાAIDS વાળા લોકો માટે

ફોનઃ 0845 1221 200

www.tht.org.uk

થર્ડ એજ એમ્પ્લોયમેન્ટ નેટવર્ક

ફોનઃ 020 7843 1590

www.taen.org.uk

'કોડ ઑફ પ્રેક્ટિસ ઓન એજ ડાયવર્સિટી ઇન એમ્પ્લોયમેન્ટ' માટે, ડિપાર્ટમેન્ટ ફોર વર્ક એન્ડ પેન્શન્સની અંદર એજ પોઝીટીવ ટીમનો સંપર્ક કરો.

ફોનઃ 08457 330 360

www.agepositive.gov.uk

આ પત્રિકા લીગલ સર્વિસીસ કમિશન (LSC) નું પ્રકાશન છે. લેસ્લીઓવેન વાળા સારા લેસ્લીના સહયોગમાં એ લખાએલ હતી.

This document was provided by Community Legal Service Direct, December 2005, www.clsdirect.org.uk